ઠાકોરજીને તિલક અને છાક લીલા મનોરથના દર્શન,ભક્તિમય માહોલ
ઓડ (તા. ૨૧ જૂન, શનિવાર): ઓડ બજાર વિસ્તારમાં આવેલ પાવન શ્રી ગોવર્ધનનાથજી મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ધર્મમય અને ભાવભીની ઉજવણીનો માહોલ સર્જાયો હતો.

આ શુભ પ્રસંગે વહેલી સવારે શ્રી ઠાકોરજીને તિલક કરાતા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.
સાંજે ૬:૩૦ કલાકે “શ્રી છાક લીલા મનોરથ”ના વિશેષ દર્શન યોજાયા હતા. ઠાકોરજીના આ રસમય મનોરથને નિહાળવા માટે ભક્તોનો ઘસારો રહ્યો હતો અને સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બન્યું હતું.મંદિરમાં આરતી અને ભજન કીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ શુભ અવસરે ઓડના વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવણીને ભવ્ય રીતે યોજાઈ હતી. મંડળના આગેવાનો અને સભ્યો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક પાટોત્સવની અનમોલ ક્ષણોને નિહાળી હતી.
