• Mon. Mar 2nd, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદના પાંચ મૃતકોને અંતિમ વિદાય

ByBhavesh Soni

Jun 20, 2025
Oplus_16777216
Spread the love

આણંદ, ગુરુવાર:
અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના પાંચ નાગરિકોના મૃત્યુ થયા હતા. ડીએનએ સેમ્પલિંગ સાથે પાર્થિવ દેહોની ઓળખ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.



મૃતકોમાં કરમસદના ભાવનાબેન રાણા, લાંભવેલના કિરીટકુમાર લલ્લુભાઈ પટેલ તથા વાસદના હેમાંગીબેન અરૂણભાઇ પટેલ, દિવ્યાબેન રજનીકાંત પટેલ અને રજનીકાંત મહીતજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પણ tragically મૃત્યુ પામ્યા હતા.



આજરોજ આ તમામ મૃતકોના અંતિમ સંસ્કાર વિધિ તેમના વતનગામોમાં કરવામાં આવી હતી.
આ અવસરે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વહીવટી તંત્ર સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખડેપગે રહી પરિવારજનોને તમામ સહાયતા પુરી પાડી હતી. દુર્ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *