• Fri. Feb 27th, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર

ByBhavesh Soni

May 30, 2025
Spread the love

આણંદ જિલ્લાના ઓડ શહેરમાં 29 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ના અવસરે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને સમર્પિત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.


યાત્રા સરદાર ભાગોળથી શરૂ થઈને સોના ટેકરી, બજાર વિસ્તાર, રામજી મંદિર થઈને પૂર્ણિમા ચોક સુધી ગર્જનાપૂર્વક પસાર થઈ.


યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ઉન્નતી નારા સાથે સમગ્ર શહેર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું.

આ યાત્રામાં ખંભોળજ પોલીસ સ્ટેશન PI વી. આર. ઉલવા, PSI જેબી પરમાર, નગરપાલિકા પ્રમુખ સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ, અશોક ઠાકોર, હિમેન પટેલ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી. બાળકો, યુવાનો, બહેનો અને વડીલો enthusiasm સાથે જોડાયા હતા. દેશના જવાનોના સન્માનમાં આ તિરંગા યાત્રા સૌના દિલમાં રાષ્ટ્રપ્રેમ જગાડતી રહી. ઓડ શહેરના નાગરિકોએ ઉમંગભેર ભાગ લઇ સંગઠિત દેશભક્તિનું ઊંડું સમર્પણ દર્શાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *